જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે શનિદેવ રોહિણી-શકટ ભેદન કરે ત્યારે પૃથ્વી પર બાર વર્ષો સુધી દુષ્કાળ પડે અને પ્રાણીઓનું બચવું મુશ્કેલ થઈ જાય. કહેવાય છે કે આ યોગ રાજા દશરથના સમયમાં આવનાર હતો. જ્યારે જ્યોતિષીઓએ રાજા દશરથને આ વિશે જણાવ્યું તો પ્રજાને બચાવવા માટે મહારાજ દશરથ પોતાના વિશેષ રથ દ્વારા આકાશ માર્ગે નક્ષત્રમંડળ પહોંચી ગયા. ત્યાં જઈને પહેલાં તેમણે શનિદેવને પ્રણામ કર્યા અને પછી પૃથ્વીવાસીઓની ભલાઈ માટે ક્ષત્રિય ધર્મ અનુસાર યુદ્ધનું આહ્વાન કર્યુ. શનિદેવ તેમની આ કર્તવ્યનિષ્ઠા જોઈને અત્યંત પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું. શનિદેવને પ્રસન્ન જોઈને મહારાજ દશરથે એમની સ્તુતિ કરી અને કહ્યું કે ‘ હે શનિદેવ! પ્રજાના કલ્યાણ માટે આપ રોહિણી નક્ષત્રનું ભેદન ન કરો ’. શનિદેવ પ્રસન્ન હતાં અને તેમણે તરત જ મહારાજ દશરથને તથાસ્તુ કહ્યું અને સાથે-સાથે એ પણ કહ્યું કે જે માનવી તમારા દ્વારા કરેલા આ સ્તોત્રથી મારી સ્તુતિ કરશે એની ઉપર મારો અશુભ પ્રભાવ ક્યારેય નહિ પડે. નમ: કૃષ્ણાય નીલાય શિતિકંઠનિભાય ચ । નમ: કાલાગ્નિરુપાય કૃતાન્તાય ચ વૈ નમ: ॥ ૧॥ નમો નિર્માંસદેહાય દીર્ઘશ્મશ્રુજટાય ચ । નમો વિશાલન
ચોઘડિયાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જે ‘ચોઘડિયાં’ શબ્દથી અપરીચિત હશે. આપણા સમાજમાં દરેક સારા-નરસાં કાર્યનો પ્રારંભ ચોઘડિયું જોઈને કરવામાં આવે છે. હકિકતમાં આપણા પ્રાચીન મુહૂર્ત ગ્રંથોમાં ચોઘડિયાં વિષે કોઈ ઉલ્લેખ નથી. ચોઘડિયા માત્ર યાત્રા-પ્રવાસમાં જ ઉપયોગી થાય છે તેવું માનવામાં આવે છે. પરંતુ સામાન્ય જન સમાજમાં ચોઘડિયાં જોવાની પ્રથા એટલી હદે વ્યાપ્ત છે કે દરેક કાર્યની શરૂઆત કરતા પહેલા તે જોવાનું ચૂકવામાં આવતું નથી. જો શુદ્ધ મુહૂર્ત જોતી વખતે ચોઘડિયાંને અવગણવાની સલાહ આપીએ તો એક જ્યોતિષી તરીકેના આપણા જ્ઞાન પર જ પ્રશ્નાર્થચિહ્ન લાગી જાય! એક ચોઘડિયું આશરે દોઢ કલાકનું બનેલું હોય છે. દોઢ કલાક એટલે કે ૯૦ મીનીટ. પહેલાના જમાનામાં સમયને ઘડીમાં માપવામાં આવતો હતો. ૧ ઘડી = ૨૪ મીનીટ. દોઢ કલાકમાં આશરે ચાર ઘડી (૯૬ મીનીટ) સમાયેલી હોય. આ ‘ચાર ઘડી’ શબ્દનું અપભ્રંશ થઈને ‘ચોઘડિયાં’ શબ્દ પ્રચલનમાં આવ્યો. ચોઘડિયાંની ગણતરી સૂર્યોદયથી શરૂ થાય છે. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના સમયના એકસરખાં આઠ ભાગ કરવામાં આવે છે. જેટલી મીનીટ આવે તેટલી મીનીટનું એક ચોઘડિયું બને છે. તે જ રીતે રાત્રિના ચોઘડિયાં માટ
ટિપ્પણીઓ