બાર રાશિઓ અને સ્વાર્થીપણું
મેષ:
સામાન્ય રીતે સ્વાર્થી હોતા નથી. પરંતુ તેમનો ‘પહેલાં હું’, ‘પહેલાં
મને’ અભિગમ તેમનાં વ્યક્તિત્વને સ્વાર્થી દર્શાવે છે.
વૃષભ:
સારો સ્વભાવ ધરાવનાર હોય છે.
પરંતુ ભૌતિકવાદી હોય છે. આળસુ પ્રકૃતિ હોવાને લીધે સહેલાં અને
આરામદાયક રસ્તાઓ શોધે છે. જે ઘણીવાર તેમને લાલચુ અને સ્વાર્થી રીતે રજૂ કરે છે.
મિથુન:
બાલિશ રીતે સ્વાર્થીપણું ધરાવે છે.
કર્ક:
સામાન્ય રીતે નિ:સ્વાર્થી હોય છે.
પરંતુ જો તેમનો રાશિસ્વામી ચંદ્ર પાપગ્રહ શનિથી પીડિત હોય તો ઘણાં
સ્વાર્થી બની જાય છે.
સિંહ:
નિ:સ્વાર્થી, ઉદાર અને બીજાને મદદ કરવા હંમેશા તત્પર હોય છે. પરંતુ તેમને આકર્ષણના
કેન્દ્ર બનવું, સ્પોટલાઈટમાં રહેવું પસંદ હોય છે. જે તેમને
સ્વાર્થી રીતે રજૂ કરે છે.
કન્યા:
સ્વકેન્દ્રી હોય છે. તેઓ દુનિયા અને આસપાસની પરિસ્થિતિને સંપૂર્ણ અને ખામીરહિત
જોવા માગે છે. આથી અન્યોની ટીકા કરવાનું વલણ ધરાવે છે. જે તેમને સ્વાર્થી રીતે રજૂ
કરે છે.
તુલા:
પ્રમાદી, જિંદગીના
દુ:ખભર્યા હિસ્સાને પસંદ કરતાં નથી. કોઈ પણ કાર્ય એકલાં કરવું પસંદ કરતાં નથી.
કાર્યો માટે અન્યોના સાથ પર આધાર રાખવાની પ્રકૃતિ સ્વાર્થી રીતે રજૂ કરે છે.
વૃશ્ચિક:
અતિશયોક્તિ ધરાવનારી રાશિ છે. જે લોકો તેમને નથી ગમતાં તેમના માટે અતિસ્વાર્થી, ઈર્ષ્યાળુ અને શંકાશીલ
હોય છે. જે લોકો ગમે છે તેમના માટે નિ:સ્વાર્થ થઈને પોતાને જીવ પણ હાજર કરી દે છે.
ધનુ:
આર્થિક મદદ કરવામાં ઉદાર હોય છે. પરંતુ પોતાની સ્વતંત્રતાના ચાહક હોય છે. જે
તેમનાં વ્યક્તિત્વને સ્વાર્થી રીતે રજૂ કરી શકે છે.
મકર:
સ્વસુરક્ષા પ્રત્યે જાગૃત,
હ્રદયથી વર્તવાને બદલે નિયમો અનુસાર વર્તે છે. બીજાં માટે જેટલું
કામ કરવું પડે તેમ હોય કે કરવાની ફરજ હોય તેટલું જ કરે છે, એથી
વધુ નહિ. જે તેમને સ્વાર્થી બનાવે છે.
કુંભ:
આદર્શો અને સામાજીક કારણ માટે નિ:સ્વાર્થ સેવા કરે. પરંતુ વ્યક્તિગત બાબતો માટે સ્વાર્થી બની
શકે.
મીન:
સારો સ્વભાવ ધરાવનારી નિ:સ્વાર્થ રાશિ છે. પરંતુ ઘણીવાર તેઓ પોતાની લાગણીઓ પર
નિયંત્રણ રાખી શકતાં નથી. જે તેમને સ્વકેન્દ્રી અને સ્વાર્થી રીતે રજૂ કરી શકે.
ટિપ્પણીઓ