જોશીનું ટીપણું - 2
ઘણીવાર
પ્રશ્ન થાય કે પ્રારબ્ધ ચડે કે પુરુષાર્થ?
હકિકતમાં પ્રારબ્ધ અને પુરુષાર્થ બંને જોડિયાં બહેનો છે. હંમેશા
આંગળી પકડીને સાથે-સાથે ચાલે છે. Inseparable! જેમ કે વરસાદ
કેટલો આવશે અને ક્યારે આવશે એ ખેડૂતનું પ્રારબ્ધ છે. જ્યારે ખેતર ખેડવું અને વાવણી
કરવી એ ખેડૂતનો પુરુષાર્થ છે. હવે વરસાદના અભાવે પાક નિષ્ફળ જઈ શકે છે અથવા
વાવણીના અભાવે વરસાદનું પડવું નિરર્થક સાબિત થઈ શકે છે. અહીં જ્યોતિષની ભૂમિકા શું
હોઈ શકે? શું જ્યોતિષ પ્રારબ્ધવાદી બનાવતું શાસ્ત્ર છે?
ના, પરંતુ કઈ દિશામાં પુરુષાર્થ કરવો અને
ક્યાં સમયે પુરુષાર્થ કરવો તેનો દિશા નિર્દેશ કરતું વિજ્ઞાન છે.
ટિપ્પણીઓ