આચરણ શુદ્ધિ

જ્યોતિષીઓ જાતકની સમસ્યાઓનાં સમાધાન માટે મંત્ર, દાન, ઉપવાસ વગેરે ઉપાયો સૂચવતાં હોય છે. ઘણીવાર જાતક પોતે જ પોતાની સમસ્યાઓનાં સમાધાન માટે ઉપાયો સૂચવવાની માગણી કરતો હોય છે. જ્યોતિષિક ઉપાયો એ હકિકતમાં એક જાતની ઈશ્વરને કરાતી પ્રાર્થના અને તપસ્યા જ છે. આ કશું ન કરીને ફક્ત સારા કર્મો કરવાથી, સત્ય અને પ્રામાણિકતાના માર્ગે ચાલવાથી અને બીજાને મદદરૂપ થવાની ભાવના રાખવાથી પણ આપણે આપણાં કર્મોની પીડા હળવી કરી શકીએ છીએ.

જ્યારે આપણે અસત્ય અને અપ્રામાણિકતાના માર્ગે ચાલીએ છીએ, બીજાને દુઃખ પહોંચાડીએ છીએ, છેતરીએ છીએ કે બીજાનો લાભ લેવાની વૃતિ ધરાવીએ છીએ ત્યારે ઈશ્વરના કોઈ જપ, તપ કે મંત્ર કામ આવતાં નથી. આપણે એક મનુષ્યને છેતરી શકીએ પરંતુ ઈશ્વરને છેતરી શકતાં નથી. એ તો ઉપર બેઠો-બેઠો આપણાં દરેક આચરણની નોંધ લઈ રહ્યો છે.

ઓશોએ એક સરસ વાત કહી છે. "Truth is something which is a very intrinsic quality for a spiritual seeker. When someone cheats other person, then in a way He cheats his own soul. Although, we don't realize it, but we all are connected and are part of the cosmic unity. Whatever we do, it gets returned to us in thousand times."

કર્મોની પીડા હળવી કરવાનો સૌ પ્રથમ અને સૌથી અગત્યનો ઉપાય છે આચરણની શુદ્ધિ.

ટિપ્પણીઓ

Aniruddh એ કહ્યું…
Very true

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા